
ભારત અને પાકિસ્તાનના વિદેશમંત્રીઓ વચ્ચે ન્યુ યોર્કમાં યોજાનારી બેઠક રદ કરવામાં આવી હતી. પાકિસ્તાને ભારતના સૈનિકનું અપહરણ કરીને , પછી તેની સાથે જે અમાનુષી વ્યવહાર કર્યો તે માનવતા માટે શરંમ જનક કૃત્ય કહી શકાય. હિજબુલ મુઝાહિદી્ન નેતા બુરહાન વાનીની સ્મૃતિમાં પાકિસ્તાનની વર્તમાન સરકાર દ્વારા ટપાલ- ટિકિટ પ્રકાશિત કરવામાં આવી – આ બે કૃત્યો બન્યા બાદ પાકિસ્તાન સાથે મંત્રણા કરવનો કોઈ જ અર્થ મહોતો. એટલે ભારતનું વિદેશ ખાતું આ મંત્રણા રદ કરે એ યોગ્ય જ પગલું ગણાય.