

તાજેતરમાં વધી રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવ અંગે ભાજપ સરકારની ટીકા કરતાં ભૂતપૂર્વ નાણાંપ્રધાન પી. ચિદંબરમે કહ્યું હતું કે, કોઈ મોટરકારના ચારમાંથી ત્રણ ટાયર પંકચર થયા હોય એની જેવી બદતર હાલત હાલની સરકારના વહીવટીતંત્રની થઈ છે. પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ, પ્રાઈવેટ કન્ઝમશન, નિકાસ અને સરકારી ખર્ચ – સરકારી અર્થવ્યવસ્થાના ચાર ગ્રોથ એન્જિન છે. એ કોઈ મોટરના ચાર ટાયર જેવાં છે. જો કારના એકાદ ટાયરમાં પણ પંકચર પડેતો એની ગતિ ધીમી અને અસ્થિર બની જતી હોય છે. હાલની સરકારના તો ત્રણે ટાયર પંકચર છે, તો વહીવટની હાલત કેવી થઈ ગઈ તેની કલ્પના કરો. સરકાર કરવેરાના નામે લોકો પાસેથી પૈસા ખંખેરી રહી છે. ચિદંબરમે જીએસટીના પાંચ સ્લેબ રાખવા માટે સરકારની સખત ઝાટકણી કાઢી હતી.