ભાજપે ગોરધન ઝડફિયાને ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવીને સહુને ચોંકાવી દીધા હતા. 2014માં યુપીમાં અમિત શાહનો કરિશ્મા કામ કરી ગયો હતો, બસ એવો જ ચમત્કાર કે જાદુ ઝડફિયા કરી બતાવે  એવી અપેક્ષા ભાજપના અગ્રણીઓ રાખી રહ્યા છે. …

0
816
People travel in boats as the sun sets for the last time in 2008 over the banks of river Ganges in the northern Indian city of Allahabad December 31, 2008. REUTERS/Jitendra Prakash

વાત તો સાચી છે કે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ગોરધન ઝડફિયાને યુપીના પ્રભારી બનાવીને તેમના શિરે અતિ મહત્વની  તેમજ વિકટ જવાબદારી સોંપી છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં અમિત શાહે યુપીમાં તો ખરેખર જાદુ જ કર્યો હતો. લોકસભાની 80 બેઠકોમાંથી 71 બેઠકો ભાજપ જીતી જાય એ તો ખુલ જા સીમ સીમ ….જેવું જ કહેવાય…ઝડફિયાના નામની જાહેરાત કરવામાં આવી ત્યારથી ભાજપના સંગઠનની સાથે સંકળાયેલા અનેક લોકો આશ્ચર્યની લાગણી અનુભવી રહ્યા છે. જોકે ભાજપના અગ્રણી નેતાઓ ઝડફિયાને એક કુશળ  અને બુદ્ધિશાળી વ્યક્તિ માની રહ્યા છે્. ઝડફિયામાં સંગઠનની સૂઝ અને કુનેહ છે. તેમની વ્યૂહરચનાથી યુપીમાં ભાજપને ફાયદો થશે એવું માનવામાં આવી રહ્યું છે.