
લાલુપ્રસાદ યાદવ પર ગમે તેટલા રાજકીય કે કાયદાકીય મામલાો અંગે અદાલતી કેસ થયા હોય, તેમના પુત્ર તેજસ્વી યાદવની એક નેતા તરીકેની ક્ષમતા પર પ્રશ્નો ઊઠાવવામાં આવતા હોય પણ હકીકત એ વાત સાબિત કરે છે કે. બિહારના મતદારોને હજી લાલુપ્રસાદ યાદવ અને તેમના પક્ષમાં વિશ્વાસ છે.બિહારમાં અરરિયા લોકસભા મતવિસ્તારની બેઠક રાજદના મુસિલમ ઉમેદવાર સરફરાજ આલમ જીતી ગયા છે. અગાઉ સરફરાજ આલમના સદગત પિતા આ વિસ્તારનું સંસદમાં પ્રતિનિધિત્વ કરતા હતા. નીતિશકુમારના જેડીયૂ અને ભાજપ બિહારમાં પ્રભાવક દેખાવ કરી શક્યા નથી . પ્રજાનો મિજાજ ઓળખવામાં કદાચ આ બન્ને પક્ષ થાપ ખાઈ ગયા છે.