કાઠમંડુઃ નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ સંસદ ભંગ કરવાની જાહેરાત કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે નેપાળમાં ૧૨થી ૧૯ નવેમ્બર દરમિયાન સામાન્ય ચૂંટણીઓ યોજાશે. નેપાળના રાજકારણનું આ સંકટ ગયા વર્ષે ડિસેમ્બરમાં શરૂ થયું હતું.
નેપાળમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ સંસદનું નીચલું ગૃહ એટલે કે ગૃહના પ્રતિનિધિને વિસર્જન અને ફરીથી ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. શુક્રવારે રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે વડા પ્રધાન કેપી શર્મા ઓલી અને નેપાળી કોંગ્રેસ અધ્યક્ષ શેર બહાદુર દેઉબાએ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો, પરંતુ રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ બંનેના દાવાને નકારી કાઢ્યા છે. આ સાથે તેમણે ૧૨ અને ૧૯ નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાનો આદેશ આપ્યો છે.
ખરેખર, વડા પ્રધાન કેપી શર્મા ઓલી ૧૦ મેના રોજ સંસદમાં વિશ્વાસ મત ગુમાવી ચૂક્યા હતા. તેમની વિરુદ્ધમાં ૧૨૪ અને તરફેણમાં ૯૩ મતો હતા. જ્યારે તેમને સરકાર બચાવવા માટે ૧૩૬ સાંસદોના ટેકાની જરૂર હતી. આ પછી, તેમણે વડા પ્રધાન પદથી રાજીનામું આપ્યું હતું. જોકે તેમના રાજીનામા બાદ રાષ્ટ્રપતિ વિદ્યા દેવીએ તેમને ફરીથી વડા પ્રધાન તરીકે નિમણૂક કરી હતી. તેમણે ૩૦ દિવસની અંદર પોતાનું બહુમત સાબિત કરવાનું હતું.
કે. પી. ઓલીનો વિશ્વાસ મત ગુમાવ્યા પછી, તેમના પક્ષ અને દેબુ બંનેએ સરકાર બનાવવાનો દાવો શરૂ કર્યો હતો. આ સમયે નેપાળની સંસદમાં સૌથી મોટી પાર્ટી ઓલીની સીપીએન-યુએમએલ છે. તેમની પાર્ટીની સંસદની ૨૭૫ બેઠકોમાંથી ૧૨૧ બેઠકો છે. જ્યારે સરકાર બનાવવા માટે ૧૩૬ સાંસદોની જરૂર છે