અમદાવાદઃ હાસ્યકલાકાર, લેખક, કવિ અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી અત્યારે અમેરીકા અને કેનેડાનાં સાંસ્કૃતિક પ્રવાસે ગયા છે. તેઓ ત્યાં ત્રણ મહીનાના રોકાણ દરમિયાન આશરે ત્રીસ જેટલા કાર્યક્રમો કરશે. ઍમનો પ્રથમ કાર્યક્રમ બાલ્ટીમોરમાં તથા બીજો કાર્યક્રમ અમેરીકાના પાટનગર વોશિંગ્ટન ડીસીમાં હતો. બન્ને કાર્યક્રમોમાં નિર્દોષાનંદજી હોસ્પિટલના ટ્રસ્ટી ડો. નટુભાઈ રાજપરા ખાસ ઉપસ્થિત રહ્ના હતા.
પ્રથમ કાર્યક્રમમાં બાલ્ટીમોર ગુજરાતી સમાજ અને બીજા કાર્યક્રમમાં કિરીટભાઈ ઊદેશીઍ ખૂબ જહેમત ઉઠાવી હતી. આ બન્ને કાર્યક્રમોની સંપૂર્ણ આવક મળીને આશરે નવ લાખ રૂપિયા જેટલી માતબર રકમ જગદીશ ત્રિવેદીઍ નિર્દોષાનંદજી હોસ્પિટલને અર્પણ કરી દીધી હતી.
ડો. જગદીશ ત્રિવેદીઍ જણાવ્યું હતું કે તેઓ પોતાના ત્રણ મહીનાના રોકાણ દરમિયાન અમેરીકા અને કેનેડાનાં મળીને કુલ ત્રીસ જેટલા કાર્યક્રમોમાં પોતાની કલા રજુ કરી માતૃભૂમિની વધુમાં વધું સેવા કરવા માટે તત્પર છે.
ઉલ્લેખનિય છે કે પોતાની આવકને શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે દાન કરીને ઉમદા સમાજસેવા કરતા જાણીતા હાસ્યકાર ડો. જગદીશભાઈઍ પોતાનાં કાયર્ક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણમાં દાન કરવાની નેમ લીધી છે. તેઅોઍ અત્યાર સુધીમાં સાત સરકારી શળા અને ત્રણ લાયબ્રેરી બનાવીને રૂપિયા ત્રણ કરોડથી વઘુનું દાન કરેલ છે.