ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિવેદનઃ ભગવાન રામ જ્યારે લંકા જઈ રહ્યા હતા ત્યારે કેવટ અને શબરીએ શ્રીરામની મદદ કરી હતી..આથી એ યોગ્ય લાગશેકે અયોધ્યાના રામ-મંદિરમાં કેવટ – શબરીની મૂર્તિઓ પણ હોય

0
1363

 ગોવાના રાજ્યપાલ શ્રી સત્યપાલ મલિકે જણાવ્યું હતું કે, હવે અયોધ્યાનો વિવાદ ઉકેલાઈ ગયો છે. હવે ભવ્ય- રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે મારું સૂચન છેકે, ભગવાન શ્રીરામ જ્યારે લંકા જઈરહ્યા હતા ત્યારે તેમને સહાયકરવામાં કેવટ અને શબરી પણ હતા. આથી તેમની મૂર્તૂઓ પણ મંદિરમાં સ્થાપિત કરવી જોઈએ. જયારે સરકાર દ્વારા મંદિર માટેના ટ્રસ્ટની રચના કરવામાં આવશે ત્યારે હું તેમને  પત્ર લખીને મારૈ સૂચનો મોકલીશ. શબરી અને કેવટ – બન્ને પછાત જનજાતિના હતાં. લંકા જતી વખતે રામની આદિવાસીઓ અને પછાત જાતિના લોકોએ મદદ કરી હતી.ભગવાનને મદદ કરનારા લોકોને
પણં મદિરમાં સથાન મળવું જોઈએ.