કોરોના કી ઐસી તૈસીઃ બ્રાઝિલમાં નિયંત્રણો હળવા થતાં જ હજારો લોકો દરિયા કાંઠે દોડ્યા!

 

રયો ડી જાનેરોઃ બ્રાઝિલમાં કોરોના વાઇરસના ચેપના કસો ઓછા થયા બાદ નિયંત્રણો હળવા કરાયા છે અને તે સાથે જ વીતેલા સપ્તાહના અંતની રજાઓમાં હજારો લોકોએ દરિયા કાંઠા પર હજારો લોકો ઉમટી પડ્યા હતા. રયો ડી જાનેરોનો જાણીતો ઇપાનેમા બીચ શિન-રિવની રજાઓમાં હજારો લોકોથી ઉભરાઇ ગયો હતો અને આ બીચ પર આવનારા મોટા ભાગના લોકોએ માસ્ક પણ પહેર્ર્યાં ન હતા. આ દરિયાકાંઠા પર સખત તડકાથી બચવા માટેની રંગબેરંગી છત્રીઓનો જાણે મેળો જામ્યો હતો. સપ્તાહોના લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગ સહિતના નિયંત્રણોથી કંટાળલા લોકો એ રીતે દેશના વિવધ બીચો પર ઉમટવા માંડ્યા હતા જાણે કે રોગચાળો પુરો થઇ ગયો હોય! જ્યારે કે હજી પણ બ્રાઝિલમાં રોજના સરેરાશ ૮૨૦ જેટલા કસો નીકળી રહ્યા છે અને ૪૧ લાખ કરતા વધુ કસો સાથે બ્રાઝિલ વિશ્વનો ત્રીજા ક્રમનો સૌથી અસરગ્રસ્ત દેશ છે જે એક સમયે તો બીજા ક્રમ સુધી જઇ આવ્યો છે.