

તાજેતરમાં નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયેલા બે દિવસના સાધુ- સંત સંમેલનમાં રામ- મંદિરના નિર્માણ અંગે વટહુકમ અથવા કાનૂન તેમજ કેન્દ્રમાં મોદી સરકારનું પુનરાગમનનો ધર્માદેશ મંજૂર કરવામાં આવ્યો હતો.
આગામી ધર્મસંસદ 25મી નવેમ્બરથી 27મી નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે.
રામ- મંદિરના નિર્માણના મામલે અયોધ્યા, નાગપુર અને બેન્ગલુરુમાં સાધુ- સંતોની સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં રામ- મંદિરને મામલે 9 ડિસેમ્બરે સાધુ- સંતોની સભા યોજાશે. તેમાં રામ- મંદિરના નિર્માણ સહિત સનાતનધર્મ સાથે સંબંધિત બાબતોની વિગતવાર ચર્ચા- વિચારણા કરીને ધર્માદેશ જાહેર કરવામાં આવશે.