અમદાવાદ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ-૨૦૨૩ના શુભારંભ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ કરાવેલી કાઇટ ફેસ્ટીવલની પરંપરા આજે વૈશ્ર્વિક ઓળખ બની છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાતના વિકાસની પતંગ સતત બે દાયકાથી નવી ઉંચાઇઓ પાર કરી રહી છે. પતંગોત્સવ આકાશને આંબવાનો, નવી ઉંચાઇઓ સર કરવાનો અવસર છે. પતંગ ઉન્નતિ, પ્રગતિ, ઉડાનનું પ્રતિક છે અને કાઇટ ફેસ્ટિવલ જેવા ગુજરાતના તહેવારો ઇન્ટરનેશનલ એટ્રેક્શન બન્યા છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ૨૦૨૩ની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આ વર્ષનો પતંગ મહોત્સવ જી-૨૦ની થીમ ‘વસુધૈવ કુટુંમ્બકમ્’ સાથે ઉજવી રહ્યાં છીયે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત પ્રથમવાર જી-ર૦ દેશોની બેઠકોની યજમાની કરી રહ્યું છે. ભારતની છબી વૈશ્ર્વિક મંચો ઉપર જે રીતે સુદ્રઢ, ઉજળી બનાવી છે તેને કારણે આવા વૈશ્ર્વિક મહાસંમેલનો ભારતમાં યોજાવા લાગ્યા છે. વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારતમાં ડિજિટલ ઇકોનોમીથી લઇ ડીફેન્સના ક્ષેત્રે મોટા પાયે બદલાવો આપણે જોયા છે. ભારત વિશ્ર્વની પાંચમી સૌથી મોટી ઇકોનોમી બની ચૂકયું છે અને સૌથી ઉંચા દરે વિકાસ પણ કરી રહ્યું છે. આ અમૃતકાળમાં ભારતના વિકાસને વધુ ઉંચાઇએ લઇ જઇ વિકસિત રાષ્ટ્રના નિર્માણનો આપણો સંકલ્પ છે. તેને સાકાર કરવા વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત સંપૂર્ણ સજ્જ છે એવો વિશ્ર્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના વિકાસની યાત્રા અવિરત રાખવા આપણે પ્રવાસન અને રોજગાર જેવા વિષયો ઉપર વિશેષ ભાર આપ્યો છે. આજનો આ કાઇટ ફેસ્ટીવલ તેનું ઉદાહરણ છે. ગુજરાતના પતંગ ઉદ્યોગ અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાને આપણા પરંપરાગત તહેવારો, ઉત્સવોને જનભાગીદારી સાથે લોકઉત્સવ તરીકે ઉજવવાની નવતર પરંપરા આપી છે. આના પરિણામે બે દાયકા પહેલાં ગુજરાતમાં જે પતંગોનો વેપાર માત્ર ૮ થી ૧૦ કરોડ પિયાનો હતો હવે દેશની કાઇટ ઇન્ડસ્ટ્રીનો ૪૦ ટકા હિસ્સો એકલુ ગુજરાત ધરાવે છે. વાર્ષિક ટર્ન-ઓવર પિયા ૬૨૫ કરોડ છે અને લગભગ ૧ લાખ ૩૦ હજાર જેટલા લોકો પતંગ ઉદ્યોગમાં રોજગાર મેળવે છે.
કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતા પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ૧૪ જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ પર્વનું મહાત્મ્ય છે, ઉત્તરાયણને અબાલ-વૃદ્ધ સહુ સાથે મળી માણીએ છીએ. સૂર્યનારાયણ ઉત્તરાર્ધ તરફ આવતા હોવાથી આકાશમાં પતંગ ઉડાવી આપણે ઉજવણી કરીએ છીએ, ઉત્તરાયણની ઉજવણીમાં પ્રકૃતિના જતનનો સંદેશ છે. ઉત્તરાયણમાં આકાશ સ્વછ બને છે. જે ઈશ્ર્વર અને માણસના સંદેશા વ્યવહાર ઝડપી બનાવે છે. અમદાવાદ સહિત વિવિધ સ્થળો પર પતંગોત્સવનું આયોજન થાય છે. અમદાવાદ સહિત વડોદરા, વડનગર, સોમનાથ, રાજકોટ, ધોલેરા, ધોરડોમાં પતંગોત્સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવથી વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધી છે. આવા ઉત્સવોની ઉજવણી થકી રાજ્યના અર્થતંત્રને વેગ મળવાની સાથોસાથ રોજગારીની તકો પણ વધી છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત પતંગોત્સવમાં કુલ ૬૮ દેશોના ૧૨૫ જેટલા પતંગબાજો, ૧૪ રાજ્યોના ૬૫ પતંગબાજો તેમજ ગુજરાતના વિવિધ જિલ્લાઓના ૬૬૦થી વધુ પતંગબાજો સામેલ થયા છે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણીમાંથી અન્ય રાજ્યો શીખ લઈ સંસ્કૃતિ અને પ્રકૃતિનું જતન કરે તે જરી છે એમ તેમણે ઉમેર્યું હતું. આ મહોત્સવમાં અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, પ્રવાસન સચિવ હારિત શુક્લા, પ્રવાસન વિભાગના કમિશનર આલોક પાંડેય, અમદાવાદના કલેક્ટર અનિલ ધામેલિયા, દેશ-વિદેશથી આમંત્રિત મહેમાનો, પતંગબાજો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા