

બાંગલાદેશ નેશનલિસ્ટ પાર્ટીના અધ્યક્ષ અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી બેગમ ખાલિદા જિયાને જિયા અનાથાલય ટ્રસ્ટની આશરે બે લાખ ડોલરની રકમની ઉચાપત કરવાના ગુનાસર વિશેષ અદાલતે ગત ફેબ્રુઆરી મહિનામાં પાંચ વરસની જેલની સજા કરી હતી. જેની સામે ભ્રષ્ટાચાર વિરોધી આયોગ દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં બેગમ ખાલિદા જિયાની પાંચ વરસની સજા વધારવાની માગણી કરવામાં આવી હતી. હાઈકોર્ટે ઉપરોકત સજા વધારીને 10 વરસની કરી હતી. હવે આ કેસમાં સંકળાયેલ દરેક વ્યક્તિને 10 વરસની જેલની સજા ભોગવવી પડશે.